વાંસ કુટુંબનિયોજનમાં માનતા નથી. રાત્રે ન વધે એટલા દિવસે ને દિવસે ન વધે એટલા રાત્રે સતત વધતા જ જાય છે. મજાની વાત એ છે કે વાંસ એકલાઅટુલા રહેવામાં માનતા નથી પરંતુ, સાથે રહીને સયુંકતકુટુંબ પ્રથાનો મહિમા વધારતા જાય છે. વાંસને છોડ ગણવા કે વૃક્ષ એ ઝટ દઈને સમજાય નહિ પણ સાથે રહેવાને કારણે છોડ હોવા છતાંય એમની ઘટા એવી ઘેઘૂર બને કે ભલભલા વૃક્ષોને પણ ઈર્ષ્યા આવે.
ગુજરાતમાં વાંસદા અને ડાંગનાં જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં વાંસ જોવા મળે છે જેનું આયુષ્ય ચાળીસ વર્ષ સુધીનું હોય છે. જ્યાં સુધી વાંસ પર ફૂલ ન આવે ત્યાં સુધી વાંસ લીલાછમ રહીને પ્રસન્ન્તાનું પ્રતિક બની રહે છે. લગભગ ચાળીસમાં વર્ષે ફૂલો આવ્યા પછી એનું જીવન પૂરું થાય છે. જો કે એ ફૂલમાંથી જે ફળ બને એ જમીન પર પડવાથી તરત જ નવા વાંસનો જન્મ થાય છે. આમ, વાંસનું લીલુંછમ અસ્તિત્વ સતત ટકી રહે છે. વાંસનાં પાન પાતળા અને લાંબા હોય છે જેનો આગળનો ભાગ ભાલાના ફણાની જેમ અણીયાળો હોય છે.
વાંસને કલ્પવૃક્ષ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો