જ્યાં સમ ખાવા પુરતોય એકપણ ખ્રિસ્તી નથી એવા કપડવંજ અને આજુબાજુના ચાલીસ ગામોમાં શાસન, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે ધાર્મિક નહિ બલ્કે સામાજિક કાર્યો થકી પરિવર્તન આણવા માટે ખ્રિસ્તી ધર્મગુરુઓ ૧૭ ઉપરાંત વર્ષોથી ધુણી ધખાવીને બેઠા છે. આ ભગીરથ કાર્યના ફળ પણ હવે જોવા મળી રહ્યા છે.
આ કાર્યોના પરિપાકરૂપે ગઈકાલે કપડવંજ ડૉન બોસ્કો કેમ્પસમાં લગભગ છસ્સો ગ્રામીણ બહેનો "મહિલા દિનની ઉજવણી" માટે ભેગી થઈ હતી. આ ઉજવણીમાં એમણે નાટકો દ્વારા ભૂણ હત્યા અને અંધશ્રદ્ધા જેવી પ્રવર્તમાન સામાજિક સમસ્યાઓ પર પ્રકાશ ફેકવાનો પ્રય્ત્ન કર્યો હતો. સાથે સાથે સમાજમાં મહિલાઓને સન્માન અને સુરક્ષા મળે એ માટે વિશાળ રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો