24 એપ્રિલ, 2013

માનવ ઘડતરનો સેવાયજ્ઞ

વડોદરા બાયપાસની આજુબાજુ ગાંડા બાવળીયા અને મકાનોના  જંગલ સિવાય કશુંય આંખે ચડતું નથી પરંતુ વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા તરફ થોડા આગળ વધો અને ઝેવિયર કેળવણી મંડળના કેમ્પસમાં અંદર પ્રવેશો કે તરત જ વાતાવરણ બદલાઈ જાય છે.

ફળફળાદી અને ઔષધીય ગુણો ધરાવતા સેંકડો વૃક્ષો નજર પહોંચે ત્યાં સુધી જોઇને આંખો ઠરે છે. વાહનોનો ઘોંઘાટ ને ધમધમાટ લગભગ નહિવત થઇ જાય છે ને એને બદલે જાતજાતના ને ભાતભાતના પક્ષીઓનો કલરવ કાનોમાં મધુરું ને કર્ણપ્રિય સંગીત રેલાવે છે. આ બધામાં શિરમોર એટલે શાળામાંથી ભણતા ભણતા ઉઠી ગયેલા બાળકોની કિલકારીઓ ને કલશોર. 

આ જગ્યાનું નામ છે "ઝેવિયર સેન્ટર ફોર ઇકો હાર્મની". અહી ખૂણે ને ખાંચરે આ બંજર ધરાને ફળદ્રુપ બનાવનાર ને ઉઠી ગયેલા બાળકોને ફરીથી ભણતા કરવાનો ભગીરથ પ્રયત્ન કરનાર સન્યાસી ફા.જોલીની ધીરજ, દીર્ઘદ્રષ્ટિ અને સખત મહેનત દ્રષ્ટિગોચર થયા વિના નહિ રહે .

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...