17 ડિસે, 2013

નવજીવન એ સુપરફાસ્ટ ટ્રેન છે.




ગયે અઠવાડિયે સવારે 7.50 વાગ્યે આણંદથી નવજીવનમાં પગ મૂક્યો. સદભાગ્યે, બેસવાની જગ્યા મળી ગઈ. આજુબાજુમાં નજર કરી તો જમણી બાજુએ ભણેલો ગણેલો યુવાન બેઠો હતો ને બાકીના બધા જ રાજસ્થાનના અભણ મારવાડીઓ જણાયા.વડોદરા બિલકુલ નજીક હતું ને ટીકીટ ચેકરે પ્રવેશ કર્યો. પેલા જુવાન સિવાય અમારા બધાની ટીકીટ બરોબર હતી.

" તમારી ટીકીટ સુપરફાસ્ટની નથી પરંતુ એક્સપ્રેસ ટ્રેનની છે માટે તમે આ ટ્રેનમાં મુસાફરી ન કરી શકો." ટીકીટ ચેકરે રસીદ કાઢવા માંડી.
"સર, બુકિંગ ક્લાર્ક પાસે મેં તો નવજીવનની ટીકીટ જ માંગી હતી. મને શું ખબર કે એ ટીકીટ આ ટ્રેનમાં નહિ ચાલે." યુવાને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો.
"જુઓ મિત્ર, તમારી વાત તમે જાણો. તમે ભૂલ કરી છે એટલે તમારે દંડ તો ભરવો જ પડશે. ચેન્નઈ સુધીનું ભાડું 265 રૂ. થાય. ચાલો દંડ ભરી દો ." ચેકરે રસીદ બનાવવાનું શરૂ કરી દીધું.
અન્ય કોઈ ચારો ન બચતા યુવાને માથું નીચે નમાવીને દંડ ભરી દીધો.

"દોસ્ત, તમે નવજીવનની ટીકીટ શા માટે માંગી? તમારે સુપરફાસ્ટની ટીકીટ માંગવી હતી ને ! શું તમને ખબર નથી કે નવજીવન એ સુપરફાસ્ટ ટ્રેન છે?" એક અભણ મારવાડીએ ટીકીટ ચેકરના ગયા પછી એ યુવાનને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...