29 માર્ચ, 2014

તમે અને તમારું પુસ્તક.

અડગ મનના પ્રવાસીને  હિમાલય પણ નથી નડતો,
ધગશથી વાંચનારાઓને શોરબકોર પણ નથી નડતો.

મનની તાકાતની વાત આવે ત્યારે જાણેઅજાણે આપણે શૂન્ય પાલનપુરીની જાણીતી પંક્તિઓને યાદ કરીએ છીએ; "જેના કદમ અસ્થિર હો એને રસ્તો કદી જડતો નથી, અડગ મનના પ્રવાસીને  હિમાલય પણ નથી નડતો." હિમાલયથી મોટો અવરોધ બીજો કોઈ ના હોઈ શકે. દ્રઢ નિર્ણયશક્તિ ધરાવનારો  માણસ ગમે તેવા અવરોધોને પણ વાળોટી શકે છે. બિલકુલ એજ બાબત વાંચનને પણ લાગુ પડે અને આપણે એજ પંક્તિઓના શબ્દો બદલીને એમ ખચિત કહી શકીએ કે ધગશથી વાંચનારાઓને શોરબકોર પણ નથી નડતો.

બકાલુંબજાર એટલે કે શાકભાજી બજાર જ્યાં સૌથી વધારે શોરબકોર અને ધાંધલધમાલ હોય છે. જો ધગશ અને ધ્યાનથી વાંચવાની ટેવ હોય તો આ શોરબકોરમાં પણ વાંચન કરી શકાય છે. આ વાત સાથે સહમતિ હોય કે ના હોય પરંતુ હકીકત એ છે કે જાતને જો કેળવી હોય તો ગમેતેવા ઘોંઘાટમાં પણ નિરાંતે અને શાંતચિતે વાંચન કરી શકાય છે. 

આવા જ ઘોંઘાટનો અનુભવ ટ્રેનના સામાન્ય ડબ્બામાં અને ઘણીવાર 'રિઝર્વ્ડ કોચ'માં પણ થાય છે. આમછતાં મુસાફરી લાંબી હોય અને સમય પસાર કરવા માટે અન્ય વિકલ્પ હાથવગો ન હોય ત્યારે વાંચન આપણી વ્હારે ધાય છે. શરૂઆતમાં ટ્રેનનો અવાજ, આજુબાજુના પેસેન્જરોનો કકળાટ અને સાથેસાથે ચાવાળા, ખારીસીંગવાળા, ભૂસુંભજીયાવાળા અને અન્ય ફેરિયાઓનો ત્રાસ વાંચનમાં વિધ્નરૂપ જણાય પરંતુ જેમજેમ મહાવરો થતો જાય એમએમ એ ઘોંઘાટમાં પણ વાંચવાની મજા વધતી જાય છે અને એક સમય એવો આવે છે કે દુનિયાથી અલિપ્ત રહીને નિરાંતે વાંચનમાં ગળાબૂડ થઇ શકાય છે. 

આ એક એવી અવસ્થા છે કે જ્યાં માત્ર તમે અને તમારું પુસ્તક અસ્તિત્વ ધરાવે છે ને બીજી બધી જ બાબતો ગૌણ બનીને ખરી પડે છે. 

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...