23 જુલાઈ, 2015

મારું ભાવિ મારા હાથમાં.

કારકિર્દી એટલે શું જાણવું હોય તો સૌપ્રથમ કારકિર્દી એટલે શું નહિ સમજવું વધારે અગત્યનું છે. કારકિર્દીની વાત આવે ત્યારે ગુજરાતીમાં સામાન્યતઃ બે શબ્દો વાપરવામાં આવે છે; રોજગાર અને કારકિર્દી. મહદઅંશે, મોટા ભાગના લોકો બંને શબ્દોને એકબીજાના સમાનાર્થી શબ્દો ગણે છે જે ખરેખર અવળે રસ્તે દોરી જતી એક ગેરમાન્યતા અને મોટી ભ્રમણા છે. વાસ્તવિકતામાં બંને શબ્દોના અર્થમાં મૂળભૂત તફાવત છે આથી બંને વચ્ચેનો તફાવત જાણનારાઓ જાણેઅજાણે પોતાના ભવિષ્યને ધૂંધળું અને દિશાવિહીન બનાવી દે છેકારકિર્દીનો અર્થ બરોબર સમજવો હોય તો સૌથી પહેલાં તો આપણે રોજગાર એટલે શું સમજવું અનિવાર્ય છે.

રોજગાર એટલે શું?

મને કમને, પોતાની ઈચ્છા હોય કે ના હોય આમછતાં, જરૂરીયાતો પૂરી કરવા માટે એટલે કે નાણાં કમાવા માટે જે કામ કરવું પડે તેને રોજગાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખેતરમાં કે કારખાનામાં રોજ પર કામ કરવું, કડીયાકામ, હીરા ઘસવા વગેરે જેવા આવડત વગરના કે ઓછી આવડતવાળા કાર્યોને આપણે રોજગાર કહી શકીએ.

સૌમ્ય ભણવામાં ખૂબ હોંશિયાર છે અને બારમાં ધોરણમાં એના ખૂબ સારા ટકા આવ્યા છે આમછતાં, ઘરની આર્થિક પરિસ્થિતિ સારી હોવાને લીધે એક ખાનગી કંપનીમાં કારકુનની નોકરી શરુ કરી દે છે. આમ, અહી  સૌમ્યની પોતાની ઈચ્છા હોવા છતાં, રસ અને રુચિ હોવા છતાં પોતાના ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સામાન્ય નોકરી સ્વીકારી લે છે. ખાસ નોંધવા જેવી વાત છે કે અહી કેન્દ્રસ્થાને માત્ર ને માત્ર આર્થિક બાબત એટલે કે નાણાં છે આથી એને સ્પષ્ટ રીતે રોજગાર કહી શકાય. કહેવાની જરૂર નથી કે કિસ્સામાં સૌમ્યને પોતાના કાર્યથી દિવસને અંતે આનંદ મળે છે કે નહિ, આત્મસંતોષ પ્રાપ્ત થાય છે કે નહિ બાબતો ગૌણ અને બિનજરૂરી બની જાય છે.

સૌમ્યના કિસ્સામાં તો મજબૂરી છે પરંતુ આપણી આસપાસ એવા ઘણાંબધા ઉદાહરણો જોવા મળે છે જેમાં મજબૂરી નહિ બલ્કે માર્ગદર્શનના અભાવે અને અન્ય પરિબળોથી પ્રભાવિત થઈને વ્યક્તિ હાથે કરીને પગ ઉપર કુહાડો મારે છે.  એંશીના દાયકામાં દસમું ધોરણ પસાર કર્યા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની નજર વળીવળીને પીટીસી ભણી મંડરાતી હતી. એનું મુખ્ય કારણ હતું કે વેળાએ માત્ર બે વર્ષનો અભ્યાસ કર્યા પછી તરત શિક્ષક તરીકેની નોકરી મળી જતી હતી એનો અર્થ થયો કે સરકારી નોકરી એટલે સારો પગાર, સલામતી અને વળી છોગામાં શિક્ષક તરીકે સમાજમાં માન અને મોભો પણ મળે. આટલું બધું એકસાથે મળી જતું હોય ત્યારે બીજા વિકલ્પો વિષે વિચાર કરવાની જરૂર ના હોય ને! કહેવાની જરૂર નથી કે એમાંનાં ઘણાંબધા એવા હતા જે હોંશિયાર હતા અને વળી એમનાં રસ, રુચિ અને પસંદગી પણ અલગ હતાં. આગળ ભણ્યા હોત તો કદાચ સારા વકીલ, ડોક્ટર કે એન્જીનિયર બની શક્યા હોત  આમછતાં એમણે ઘરેડમાં તણાઈને આજીવન શિક્ષક બની રહેવાનું પસંદ કરી લીધું. એમાંનાં ઘણાં આજે પોતાની પસંદગીમાં કરેલી ઉતાવળને લીધે ભૂતકાળને વગોવ્યા કરે છે. પણ હવે, ઘોડા ભાગી છૂટ્યા પછી તબેલાને તાળું મારવાનો કોઈ અર્થ સરે ખરો!

પીટીસી કોલેજો તો હવે ગણીગાંઠી રહી છે આમછતાં મોટાભાગના વિદ્યાર્થીઓની માનસિકતા બદલાઈ નથી. કારકિર્દી ઘડતરની વાત આવે ત્યારે સૌથી પહેલાં પગાર અને ત્યાર પછી સલામતી, માન અને મોભો જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. આથી આજે પણ વિદ્યાર્થીઓ પીટીસીની જગ્યાએ એમએસડબલ્યુ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ક્ષેત્રો ભણી ઘેટાંની જેમ એકની પાછળ એક દોટ મૂકે છે. ચિંતાની વાત છે કે પોતાનાં રસ અને રુચિ કયા ક્ષેત્રોમાં છે, પોતાને આત્મસંતોષ કયા ક્ષેત્રમાં પ્રાપ્ત થશે એનો તો ભાગ્યે વિચાર કરવામાં આવે છે.

ઉપરોક્ત વાત પરથી સ્પષ્ટ સમજાય છે કે જયારે પોતાનાં રસ અને રુચિને ધ્યાનમાં લીધા વિના આનંદ અને આત્મસંતોષને ગણકાર્યા વિના, માત્ર  નાણાં, સલામતી, માન અને મોભો જેવા પરિબળોનો વિચાર કરીને ભવિષ્યનું ઘડતર કરવામાં આવે ત્યારે કારકિર્દીનું ઘડતર હરગિજ થતું નથી બલ્કે માત્ર ને માત્ર રોજગારનું સર્જન થાય છે. વાતને સ્પષ્ટ અને  વિસ્તારથી સમજવા માટે આપણે બંને વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવો રહ્યો.

રોજગાર અને કારકિર્દી વચ્ચે મૂળભૂત તફાવત

પૈસો કે નાણાં કેન્દ્રસ્થાને છે.
પૈસો કે નાણાં કેન્દ્રસ્થાને નથી.

સત્તા, સંપતિ અને સગવડો મળતાં નથી.
સત્તા, સંપતિ અને સગવડો આપોઆપ મળે છે.

માન, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં નથી.
માન, મોભો કે પ્રતિષ્ઠા અનાયાસે પ્રાપ્ત થાય છે.

રસ અને રુચિ અગત્યનાં નથી.
રસ અને રુચિ ખૂબ મહત્વનાં છે.

આનંદ અને આત્મસંતોષ ગૌણ છે.
આનંદ અને આત્મસંતોષ કેન્દ્રસ્થાને છે.



આમ, પોતાની રસ અને રુચિને ધ્યાનમાં લઈને જે ક્ષેત્રમાં મહત્તમ આનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત થાય એવું ક્ષેત્ર સભાનતાપૂર્વક પસંદ કરવામાં આવે ત્યારે કારકિર્દીનું આપોઆપ ઘડતર થાય છે અને જયારે કારકિર્દી ઘડાય છે ત્યારે પૈસો કે નાણાં, સત્તા, સંપત્તિ અને સગવડો, માન, મોભો અને પ્રતિષ્ઠા આપોઆપ મળી જાય છે. આમ, અહી નાણાં નહિ બલ્કે આનંદ અને આત્મસંતોષ કેન્દ્રસ્થાને છે.

બીજી મહત્વની વાત છે કે કારકિર્દી એક પ્રક્રિયા છે જેનું ઘડતર કંઈ રાતોરાત થઇ જતું નથી. રસ અને રુચિને ઓળખવા માટે આત્મમંથન એટલે કે સતત પોતાની જાતને ઓળખતા રહેવાની તૈયારી રાખવી પડે છે અને એની ઓળખાણ મળ્યા પછી આનંદ અને આત્મસંતોષ મળે એવા ક્ષેત્રને પામવા માટે સતત મથતાં રહેવું પડે છે.

ડો.અબ્દુલ કલામ આઝાદ, આપણાં ભૂતપૂર્વ વિદ્વાન રાષ્ટ્રપતિ નામી અને અનુભવી વૈજ્ઞાનિક છે. તાતા, બિરલા અને અંબાણી દેશવિદેશમાં જાણીતા ઉદ્યોગપતિઓ છે. સચિન તેંડૂલકર ક્રિકેટનો ભગવાન કહેવાય છે. લતા મંગેશકર વર્ષોથી જાણીતા ગીતકાર તરીકેની પોતાની ઓળખ ટકાવી રહ્યા છે. અમિતાભ બચ્ચન અભિનયની દુનિયામાં  હજીપણ ટોચ ઉપર છે. .આર.રહેમાન યુવાન અને વર્તમાન સંગીતકારોમાં ધગશ અને નવીનતાને કારણે અનોખી ઓળખ ધરાવે છે. જમૈકા દેશનો વાતની યુસેન બોલ્ટ દુનિયાનો સૌથી ઝડપી દોડવીર તરીકેની નામના ધરાવે છે. ટાઈગર વુડ ગોલ્ફનો મહાન ખેલાડી અને દુનિયામાં સૌથી વધુ નાણાં કમાતો રમતવીર છે. બધી વ્યક્તિઓ પોતપોતાના ક્ષેત્રોમાં નિપુણ અને પારંગત છે અને એટલે ટોચ ઉપર છે. આવડત, પરિશ્રમ કે તનતોડ મહેનત વિના એમની કારકિર્દીનું ઘડતર થઇ શક્યું હોત. એથી વધારે અગત્યની વાત છે કે એમને પોતાનાં ક્ષેત્રમાં અપાર આનંદ અને ભરપૂર આત્મસંતોષ મળી રહે છે.

ઉપરાંત, કેટલાક રસપ્રદ ઉદાહરણો એવા પણ જોવા મળ્યાં છે કે જેમણે પોતાનું  ભણતર પૂરું કર્યા પછી અને કેટલાક વર્ષો જે તે ક્ષેત્રમાં કાર્ય કરવાને બદલે પોતાની કારકિર્દીને અણધાર્યો વળાંક આપ્યો છે એનું મૂળ કારણ એજ કે એમને પોતાના મનગમતા કાર્યમાં કાર્યરત રહેવું હતુંઆઈઆઈએમ અમદાવાદમાંથી એમબીએની ડિગ્રી પ્રાપ્ત કરનાર ચેતન ભગત મેનેજર બનવા માટે સક્ષમ અને લાયક છે આમછતાં એમણે લેખન ક્ષેત્રે ઝંપલાવ્યું છે ને વર્ષોની મહેનત પછી એમાં સફળતા પણ મેળવી છે. ભણતર અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શેખર કપૂર જાણીતા ફિલ્મ ડિરેક્ટર છે. રીતે જાણીતાં કોમેન્ટ્રેટર હર્ષ ભોગલે પણ આઈઆઈએમની એમબીએની ડિગ્રી ધરાવે છે

છેવટે એટલું ચોક્કસ કહી શકાય કે જીવનમાં પૈસો, માન, મોભો, પ્રતિષ્ઠા જરૂરી છે પણ સર્વસ્વ તો નથી . બધું હોય પરંતુ જો રસ અને રુચિ પ્રમાણેનું કાર્ય અને એમાંથી મળતો આનંદ અને આત્મસંતોષ નહિ હોય ત્યાંસુધી જીવનમાં ખાલીપણું લાગ્યા વિના રહેવાનું નથી.     

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...