3 એપ્રિલ, 2016

બેનમૂન ઇસ્લામિક સ્થાપત્ય.

ખંભાત શહેરને છેવાડે જુમ્મા કે જામી મસ્જીદ આવેલી છે. બહારથી એકદમ સાદી અને સામાન્ય જણાતી આ ઈમારતની બાજુમાં પુરાતત્વ ખાતાનું બોર્ડ વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે આ ઈમારત પ્રાચીન, ઐતિહાસિક અને કાયદા દ્વારા સંરક્ષિત છે. જો કળામાં રસ ન હોય અને ઇતિહાસમાં ગતાગમ ન હોય તો આપણને પણ માત્ર સ્તંભોની ટોચ ઉપર રચાયેલા ગુંબજો જ નજરે ચઢે તો નવાઈ નહિ!

અલાઉદ્દીન ખલજીએ ૧૩૦૪મા ખંભાત પર આક્રમણ કરીને વિજયપતાકા લહેરાવ્યા ને ત્યારબાદ ખૂબ ટૂંકા ગાળામાં ૧૩૨૫માં દરિયાની બિલકુલ નજીક આ ઈમારતની રચના કરી હતી. આ ઈમારતનો મુખ્ય ભાગ ગોથિક શૈલીમાં બંધાયેલો છે જેમાં લગભગ ૧૦૦ જેટલા સ્તંભો કોરીન્થીયન શૈલીની યાદ અપાવી દે છે. ઉપરની છતની કોતરણી દેખીતી રીતે હિંદુ અને જૈન સ્થાપત્યને અનુસરતી હોય એવું લાગે છે. મુખ્ય ભાગની સામે વિશાળ ચોક છે ને ત્રણે બાજુ દરવાજા તથા પરસાળ છે જેમાં પણ અગણિત સ્તંભોની ઉપર ગુંબજો રચવામાં આવ્યા છે. દક્ષિણ દિશામાં ઉમર બીન એહમદ ગઝરુનીની કબર છે. સ્થાપત્યની દૃષ્ટિએ જોઈએ તો દિલ્હીથી આવેલા અને સ્થાનિક કલાકારોએ ભેગા મળીને આ પથ્થરોમાં જીવ રેડીને પ્રાણ પૂરી દીધા છે. દરેક સ્તંભ અને દરેક ગુંબજની ડીઝાઇન એકબીજા કરતાં એકદમ નોખી અને અલગ છે.

જો કળામાં રસ હોય અને ઈતિહાસની જાણકારી હાથવગી હોય તો ક્યારેક ખંભાતમાં આવેલી આ જુમા મસ્જીદના ખૂણે ખૂણાને જોવા, સમજવાની તસ્દી લેવા જેવી ખરી. આ બેનમૂન ઇસ્લામિક સ્થાપત્યના દર્શન માત્રથી આફરીન પોકારી ઉઠાશે.








ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...